કયારેક કયારેક એમ થાય છે કે પૈસા દઇને કોઇનો પ્રેમ ખરીદી શકાતુ હોત તો કેવું સારૂ હોત....કોઇ પાસે પ્રેમની ભીખ તો ના માગવી પડત અને આમ પણ ભીખી-ભીખીને માંગેલા પ્રેમમાં બોવ મજા પણ નથી આવતી...
ખરેખર કયારેક તો એમ થાય છે કે દુનીયામાં પ્યાર જેવું કશું છે જ નહી માત્ર માણસ એકલો નથી રહી શકતો એંકાત ના સાલે અટલે હંમેશા કોઇને કોઇ વ્યકિતીની ચાહના કરતો રહે છે. સાચે જ હા ઇશ્વર પણ કેવો ગજબનો કલાકાર છે. માણસ હંમેશા કોઇને કહેતો હોય છે હું ફલાણા-ઢીકળા વગર નહી જીવી શકુ એમ છતા એના હાજરી ન હોય છતા પણ એ જીવતો હોય છે.
એક વાત તો મે માર્ક કરી છે હંમેશા તમે ભગવાન ને જઇને એમ કહેતા હોય ને કે હે ઇશ્વર આ વ્યકિત વગર હું નહી રહી શકું ત્યારે ઇશ્વર હંમેશા માટે તમારી પાસેથી એ વ્યકિતને છીનવી લે છે અને આપણને પડકાર કરે છે અને કહે છે ``જોયું ને આજ પણ જીવી છે ને તું એ તારી મનપસંદ પ્રિય વ્યકિત વગર.....``
- દિપેશ ખેરડીયા -
0 comments:
Post a Comment