Sunday 3 March 2013

આજ મારી જીદગીને માર થયો છે
લોકોને મુજથી કોઇ ખાર થયો છે,

ખુલી આંખે મેં જોયા છે સપનાને
મારી પાંપણો પર હવે ભાર થયો છે,

હું કઇ બનીનાં શકુ એવું જે કહેતાતા
મારી ગઝલોને હવે વેપાર થયો છે,

તકદીર પર રોવાનો કોઇજ અથં નથી
સંજીવની મળેતો સાચો સાર થયો છે,

‘દિપેન’ હવે બંધ કર આંખો તું પણ
મરણ પણ તારો જોને યાર થયો છે.

- દિપેશ વી. ખેરડીયા -

0 comments:

Post a Comment