આજ મારી જીદગીને માર થયો છે
લોકોને મુજથી કોઇ ખાર થયો છે,
ખુલી આંખે મેં જોયા છે સપનાને
મારી પાંપણો પર હવે ભાર થયો છે,
હું કઇ બનીનાં શકુ એવું જે કહેતાતા
મારી ગઝલોને હવે વેપાર થયો છે,
તકદીર પર રોવાનો કોઇજ અથં નથી
સંજીવની મળેતો સાચો સાર થયો છે,
‘દિપેન’ હવે બંધ કર આંખો તું પણ
મરણ પણ તારો જોને યાર થયો છે.
- દિપેશ વી. ખેરડીયા -
0 comments:
Post a Comment